Monthly Archives: June 2011

ક્રિએટિવ વિઝયુલાઈઝેશન

 “અજવાળું” અંતર્ગત આજે વાત કરીશુ ક્રિએટિવ વિઝ્યુઅલાઇઝેશન વિશે.


 આપણા જીવનમા આપણને ખરેખર શેની શોધ રહે છે? આપણે શુ મેળવવા ઇચ્છીયે છીએ અને તેને મેળવવા માટે કેટલા અને કેવા પ્રયત્નો કરીએ છીએ ? માનવી જીવનના દરેક તબક્કે, દરેક વિષયમા, દરેક સબંધોમા પુર્ણતા ઝંખે છે. તે જીવનમા આનંદ, સંતોષકારક સંબંધો, મનમા રહેલ વિચારોની સ્પષ્ટ રજુઆત કરવાની ઇચ્છા ધરાવે છે. તે તંદુરસ્તી, સુંદરતા, સમૃદ્ધધી, આંતરીક શાંતી, અને સંવાદીતા વગેરે મેળવવા જીવનભર દોડયા કરે છે અને એ દોડ આવષ્યક છે કારણકે આપણા જીવનમા આ દરેક બાબતો ખરેખર ઈચ્છનીય છે.

પણ શુ આ દોડનો અંત યથાર્થદર્શી હોય છે ખરો?

શુ તે આ સઘળુ મેળવવામા સફળ રહે છે. જો સફળતા મેળવે પણ છે તો શુ તેને જીવનભર ટકાવી રાખી શકે છે??? ના !!!

અને જો ના તો તેના માટે શુ કરવુ જોઇએ?

આ બધા જ પ્રશ્નોનો ઉત્તર છે આ પુસ્તક :- ક્રિએટિવ વિઝયુલાઈઝેશન

આ પુસ્તક એક જ સિધ્ધાંત પર કાર્ય કરે છે કે

આપણા જીવનની હરેક પળ અસીમ સર્જનાત્મક્તા અને આ વિશ્વ અનંત ઉદારતા ધરાવે છે. આપણે જરુર છે તો માત્ર યોગ્ય અને આવશ્યક માગણીની અને ત્યાર બાદ, તે દરેક બાબત જે આપણુ હ્રદય ખરેખર ઈચ્છે છે તે આપણી તરફ ચોક્કસ ખેંચાઈ આવે છે .

આપણે જીવનમા જે તંદુરસ્તી, સુંદરતા, સમૃદ્ધધી , આંતરીક શાંતિ, પુર્ણતા અને સંવાદિતતા મેળવવી છે, તે શક્ય બનાવવા માટે આપણી પોતાની જ કુદરતી સર્જનાત્મક કલપ્ના શક્તિનો ઊપયોગ જાગ્રતપણે કેવી રીતે કરવો, તે આ પુસ્તક શીખવે છે. ક્રિએટિવ વિઝયુલાઈઝેશન આપણને જીવનના કુદરતી પોષક તત્વ અને ઊદારતા તરફ જવાનો રસ્તો ચિંધે છે.

શુ છે ક્રિએટિવ વિઝયુલાઈઝેશન ?

ક્રિએટિવ વિઝયુલાઈઝેશન એટલે તમારી અંદર રહેલી સર્જનાત્મક્તાનો ઊપયોગ કરી તમારા પોતાના જીવનમા આવશ્યક વિષય-વસ્તુ મેળવવાની એક પધ્ધતી. ક્રિએટિવ વિઝયુલાઈઝેશનના વિષયમા એવુ કશુ જ નથી જેને નવીન, વિચિત્ર કે અસામાન્ય કહી શકાય, તેનો ઊપયોગ તમે રોજબરોજ ના જીવનમા હર એક પળે કરો જ છો. તે તમારી કુદરતી કલ્પનાશક્તી છે, વિશ્વની મુળભુત સર્જનાત્મશક્તિ છે, જેનો તમે જાણે અજાણે પણ સતત ઊપયોગ કરો જ છો.

ઊદાહરણ તરીકે, આપને આપની હાલની કાર્ય સ્થિતિથી (કામ કરવાનુ સ્થળ અથવા માહોલ) અસંતોષ છે. જો આપને લાગતુ હોય કે આ કાર્ય સ્થિતિ બરાબર જ છે પરંતુ તેના અમુક પાસા એવા છે જેમા સુધારાની જરુર છે, તો તેની શરૂઆત આપ એ સુધારાની કલ્પના કરી ને કરી શકો છો, તે છત્તા પણ આપને જણાય કે તમારે નવા કાર્યક્ષેત્ર વિશે વિચારવુ જોઈએ તો આપ ખુદને એવા કાર્યસ્થળે કાર્યરત હોવાની કલ્પ્ના કરી શકો છો જે તમે ખરેખર ઈચ્છો છો.

તે સિવાય મુળભુત પધ્ધતી એક સમાન જ છે. મનના શાંત, ઊંડા અને ધ્યાનાત્મક સ્તરે પહોચ્યા પછી કલ્પ્ના કરો કે, આપ આપની પસંદગીના કાર્ય સ્થળે છો. કલ્પ્ના કરો એ શારીરિક અવસ્થા અને એવા માહોલની જે તમને પસંદ હોય. એ કાર્યક્ષેત્રમા જે આપના માટે આનંદમય અને સંતોષકારક હોય, સહકર્મચારીઓ સાથે થતી સંવાદિત પ્રતિક્રિયા (conversation) અને યોગ્ય નાણાકીય વળતર. એ સિવાયની એવી બધી જ વિગતો એમા ઉમેરો જે તમારા માટે જરૂરી હોય, જેમ કે કામ કરવાના કલાકો, સ્વયંશાસન અને તમારા માથે રહેલ જવાબદારી. આપની અંદર એ લાગણી કેળવવાનો, એ અનુભવ કરવાનો પ્રયત્ન કરો કે આ બધુ ખરેખર જ બની રહ્યુ છે. ટુંકમા એની કલ્પ્ના બિલકુલ એ જ રીતે કરો કે જે રીતે તમે વાસ્તવમા હોય તેમ ઇચ્છો છો.

આ ટુંકી પધ્ધતી નુ આપ પુનરાવર્તન કર્યા કરો. દિવસમા 2-3 વાર. જો પરિવર્તન માટેના આપના મનસુબા અને ઈચ્છા સ્પષ્ટ હશે તો જે પરિવર્તન થશે તે જલ્દી અને સારુ જ થશે અને જેનો ખ્યાલ આપને જલ્દી જ આવશે.

અહીયા એ જણાવી દેવુ જરુરી છે કે આ પધ્ધતીનો ઊપયોગ બીજાના વર્તન પર કાબુ રાખવા માટે કે તેમને તેમની મરજી વિરુધ્ધ કોઈ કાર્ય કરાવવા માટે નથી. આ પધ્ધતી અસર કરે છે આપણા આંતરીક અંતરાયો, આપણી કુદરતી સંવાદીતા અને ખુદને ઓળખવામા આપણને નડતી અડચણો પર. આ અડચણોને ઓગાળીને તે આપણી હકારાત્મકતાને રજુ કરવાની આપણને મોકળાશ આપે છે.

(આ પુસ્તકના લેખીકા શ્રી શક્તિ ગવાઈન મુળ અમેરીકાના વતની છે પરંતુ ભારતમા તેમની મુલાકાત દરમ્યાન તેઓ ભારતીય ધર્મ અને કલા સંસ્ક્રૂતિથી આકર્ષાયા અને તેમણે તેમનુ નામ શક્તિ રાખ્યુ છે. આ પુસ્તક ક્રિએટિવ વિઝયુલાઈઝેશનની મુખ્ય આવૃત્તિ રચાઇ હતી વર્ષ 1978-1994 દરમ્યાન. તેની પ્રથમ આવૃત્તિ બહાર પડી વર્ષ 1995મા અને ત્યારબાદ તેની ગીફ્ટ આવૃત્તિ આવી વર્ષ 1998મા અને હજી આજે પણ તેના વાચકો વધી રહ્યા છે. આ ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે આ પુસ્તક કેટલુ લોકપ્રિય રહ્યુ હશે અને એમા લખાયેલ શબ્દોની અસર કેટલી તટસ્થ હશે. આ પુસ્તકમા લેખીકાએ “ક્રિએટીવ વિઝયુલાઈઝેશન કેવી રીતે કરવુ ?…અસરકારક ક્રિએટીવ વિઝયુલાઈઝેશન માટેના 4 મૂળભુત નિયમો …,તંદુરસ્તી અને સુંદરતા સાથે ક્રિએટિવ વિઝ્યુઅલાઇઝેશનો સબંધ…,લક્ષ્યોની સ્થાપના…, પોતાનામા રહેલ સારા ગુણોને સ્વીકારો …, સર્જનાત્મક જાગરૂતા…, અફેરમેશન કેવી રીતે લખવા… વગેરે સફળતાપુર્વક ક્રિએટિવ વિઝ્યુઅલાઇઝેશન કરવામા મદદરૂપ રહે તેવી બાબતો પર વિસ્ત્રૃત મહિતી આપી છે. એ વિષયો પર ફરી ક્યારેક ચર્ચા કરીશુ )

આ પુસ્તક જે સંસ્થા દ્વારા પ્રકાશન થયુ છે તે સંસ્થા છે ” ન્યુ વર્લ્ડ લાઇબ્રેરી”

આ સંસ્થા જીવન ઉપયોગી અને માઇન્ડ પાવરને લગતા પુસ્તકોનુ પ્રકાશન કરે છે. આ ઉપરાંત અન્ય ઘણા મોટીવેશનલ પુસ્તકો અને ઘણા સારા લેખકોની કૃતિ તમને અહી મળી શકશે. http://www.newworldlibrary.com


ક્રિએટિવ વિઝ્યુઅલાઇઝેશન અંગેની માહીતી શ્રી શક્તિ ગવાઇનના પુસ્તક “ Creative Visualization” માથી સાભાર

(મુળ આવૃત્તિ ની ભાષા: અંગ્રેજી | ગુજરાતી અનુવાદ: કોમલ પટેલ)


અંતરના અજવાળા તરફ …

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

શ્રી માધવ રામાનુજના લખેલ આ કાવ્યથી થી બ્લોગની શરૂઆત કરૂ છુ .

બ્લોગનુ નામ અને આ પ્રથમ પોસ્ટ કઇક અંશે મળતા આવે છે ખરૂ ને ???

તેનુ કારણ છે કે જે વિષય ઉપર આ બ્લોગ પર ચર્ચા કરવાની ઇચ્છા છે એ વિષય છે “અજવાળુ”

આપણે બધા જ એ ઇચ્છા ધરાવીએ છીએ કે જીવન એક ચમત્કાર બને. આપણે ચમત્કારો માટે પ્રાર્થના કરીએ છીએ, તેની વાતો સાંભળીએ છીએ અને ધારણા કરીએ છીએ કે વર્ષો પહેલા કોઇ ચમત્કાર થયો હશે અને ભવિષ્યમા ક્યારેક કોઇ એક દિવસે ચમત્કાર થશે. પરંતુ આપણે એ ભુલી જઇએ છીએ કે આ ચમત્કારીક શક્તિ એ બહારથી નથી મળતી તે આપણી અંદર જ છે. આપણી સાચી ઓળખ એ આપણી અંદર રહેલ પ્રકાશ છે. આપણુ બાહ્ય શરીર નહી. આ આંતર જ્યોત આપણને ઇશ્વરે પ્રદાન કરી છે. આપણે સ્વયમને એક પ્રકાશપુંજ તરીકે જોઇ શકીએ તો જ એ શક્તિને પિછાણી શકીએ.

તે માટે આપણે કેવળ આપણી આંખો બંધ કરી અને શાંતીથી બેસીશુ, અને આપણા માનસ પટ પર રહેલ અંધકારમય દ્રશ્યને નીહાળીશુ, આપણી અંદર રહેલ પ્રકાશપુંજને જોવા પ્રયત્ન કરીશુ. આપણા અર્ધજાગ્રુત મનને આદેશ કરીશુ કે આપણા માનસપટ પર જે અંધકારમય દ્રશ્ય છે ત્યા તે આ પ્રકાશપુંજના આપણને દર્શન કરાવે…… અને અચાનક જ સફેદ પ્રકાશની એક દીવાદાંડી આપણને દ્રષ્ટીગોચર થશે જે પરમ સત્યનો ભેદ ખોલીને આપણા મનને પ્રકાશથી ભરી દેશે.

શરૂઆતમા શક્ય છે કે આ સફેદ પ્રકાશનો સહેજ ચમકારો માત્ર જ દેખાય, પરંતુ જ્યારે એ દેખાવાની શરૂઆત થાય છે ત્યારે માની લેવુ કે આપણે આ માર્ગને જલ્દી જ સમજી લઇશુ. આપણી જે ઇચ્છાશક્તિ છે તે જ આ માર્ગમા આપણી દિવાદાંડી બનશે.

અજવાળું, આ બ્લોગ ઉપર ચર્ચા કરવી છે આપણી આંતર શક્તિની. બહારથી ઘેરી વળેલી ચિંતા, દ્વિધા અને પ્રશ્નોના સઘળા ઉકેલ આપણી અંદરથી જ મળી આવે છે. આપણુ આંતર મન આપણને તે ઉકેલ મેળવી આપે છે. આપણા દરેકની અંદર એ પ્રકાશ રહેલો છે બસ તેને શોધી કાઢીને તેને અનુસરવાની જરૂર છે.

આ બ્લોગ ઉપર આપણે એવા પુસ્તકો વિશે ચર્ચા કરીશુ જે આપણને આ પ્રકાશ તરફ દોરી જાય. જેની અંતર્ગત આપણે મનની શક્તિઓ, સકારાત્મક વલણ, ધ્યાન, આકર્ષણનો નિયમ, સર્જનાત્મકતા, આધ્યાત્મકિતા અને વિજ્ઞાન વગેરે વિષયોને આવરી લેવા પ્રયત્ન કરીશુ.